Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm
ખંભાળીયા તા. ૫ઃ ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર જમીન સંપાદનના મુદ્દે અનેક જગ્યાએ રસ્તા સાંકડા બન્યા છે, તો ઘણી જગ્યાએ બન્યા જ નથી ! તેથી ભારે અસંતોષ ફેલાયો છે.ખંભાળીયા-દ્વારકા વચ્ચે ૧૧૦૦ કરોડનો નેશનલ હાઈવે થઈ રહ્યો છે જે હવે થોડા સમયમાં પૂર્ણ થવા તરફ છે. જ્યારે અનેક સ્થળે સર્વિસ રોડમાં તથા મુખ્ય રસ્તો પહોળો કરવામાં આવતા ખેતર માલિકો દ્વારા વાંધા લેવાતા તથા કોર્ટ કેસ થતાં આ મામલો અટકતા આવા સ્થળો પર સર્વિસ રોડ ના થઈ શકતા તથા રસ્તા સાંકડા બનાવવા પડે તેવું થતાં ભારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે.ખંભાળીયામાં પ્રવેશના રસ્તે જ કલેકટર કચેરી પાસે પરિશ્રમ પંપ પાસે જમીન સંપાદનના થતા ડ્રાયવર્ઝન બન્યો નથી, આગળ અશોક પંપ પાસે બન્ને તરફ પૂલ પહેલા સર્વિસ રોડ બનાવવાનો છે તે પણ બન્યો નથી તો સિંહણ પાસે, કુહાડીયા પાસે તેમ અનેક સ્થળે હાઈવે પર પણ આવો પુલ હોય નવો રસ્તો પૂર્ણતા તરફ છે ત્યારે આવા મુદ સોનાની થાળીમાં લોઢાની મેખની જેવી સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા હોય વહીવટી તંત્ર નિકાલ કરે તેવી માંગ ઉઠી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag