Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm
જામનગર તા. ૫ઃ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યમાં ઓબીસીની ૧૪૬ વિવિધ જ્ઞાતિની વસ્તી પ્રમાણે અનામત સીટોની ફાળવણી થાય અને શાસન પ્રશાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સરપંચથી લઈને મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ વગેરે માટે રોટેશન મુજબ અનામત સીટો ઉપર નિયુક્તિનો રાજ્યમાં ચુસ્ત અમલ થાય તે માટે ઓબીસી અન્ય પછાત વર્ગોની વસ્તી ગણતરી કરી ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માં પણ આ જોગવાઈનો અમલ થાય છે, તે માટે માંગણી કરવામાં આવી છે. જે જિલ્લામાં અન્ય પછાત વર્ગોની વસ્તી વધુ છે, તે આધારે રાજ્ય ચૂંટણી પંચને ભલામણ કરવામાં આવે અને અન્ય પછાત વર્ગોને શાસન પ્રશાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી ભરતભાઈ વાળાએ સમર્પિત આયોગને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag