Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm
મૃતકના પુત્રએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃજામનગર તા.પ ઃ જામજોધપુરના હોથીજી ખડબા ગામના એક પ્રૌઢના બાઈકને બુધવારે રાત્રે બાલવા રોડ પર મોડીફાઈડ કરેલા એક ટ્રેક્ટરે ઠોકર મારતા ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી નાસી ગયેલા ટ્રેકટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના કેશુરભાઈ રાયદેભાઈ ડાંગર નામના આહિર પ્રૌઢ ગયા બુધવારે રાત્રે પોતાના મોટર સાયકલમાં જામજોધપુરથી બાલવા વચ્ચેના રોડ પર આવેલા ગાધેશ્વર ફાટક નજીકથી પસાર થતા હતા. ત્યારે નંબર પ્લેટ વગરનું એક ટ્રેક્ટર ધસી આવ્યું હતું.મોડીફાઈડ કરાયેલા આ ટ્રેક્ટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી કેશુરભાઈના બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા આ પ્રૌઢને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થયા પછી મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર ભરતભાઈ ડાંગરે અકસમાત સર્જી નાસી ગયેલા ટ્રેકટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૃ કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag