Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm
ગૌવંશના મૃત્યુ અટકાવવા કવાયત હાથ ધરવા છતાં તંત્ર નિષ્ફળઃજામનગર તા. ૬ઃ લમ્પી નામના પ્રાણઘાતક વાયરસના કારણે જામનગરમાં ગૌવંશ મોતના મૂખમાં ધકેલાઈ રહ્યા છે. ગઈકાલે જામનગરમાં ૩૬ ગૌવંશના મૃત્યુ થયા હતાં.છેલ્લા લાંબા સમયથી જામનગરમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. હજુ પણ મોતનું તાંડવ યથાવત્ જળવાઈ રહ્યું હોય તેમ ગઈકાલે ૩૬ ગૌવંશના મૃત્યુ થયા હતાં. આ તમામ મૃત ગૌવંશની જામનગરના છેવાડે ડમ્પીંગ પોઈન્ટ પાસે અંતિમવિધિ કરવામાં આવી હતી. ચાલુ સપ્તાહના પ્રથમ પાંચ દિવસમાં જ જામનગરમાં ર૪૦ ગૌવંશના મૃત્યુ થયા છે.તંત્ર દ્વારા ગૌવંશના મૃત્યુ રોકવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ તેને સફળતા મળતી નથી. આજે મુખ્યમંત્રી પણ જામનગર આવ્યા હતાં અને અસરકારક કામગીરી કરી મૃત્યુ દર ઘટાડવા સૂચના આપી ગયા હતાં.બીજી તરફ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં જ ગાયો મોતના મૂખમાં ધકેલાતી જોઈને લોકોના હૃદય પણ દ્રવી ઊઠ્યા છે અને સરકાર દ્વારા કાંઈક વધુ અસરકારક પગલાં લેવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે. અન્યથા ગૌવંશના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થશે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag